Abtak Media Google News

ભુવા રોડ પરથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી:સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકામાં પોલીસે 10 શખ્સોની પૂછતાછ હાથધરી

અબતક,રાજકોટ

સાવરકુંડલાના ભુવા રોડ પર છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવ્યાની પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. યુવાનની હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકાએ 10 શખ્સોની પૂછતાછ હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરના ભુવા રોડ પર 30 વર્ષીય યુસુફ દિલાવરભાઈ ઝાખરાની છરી વડે કરપીણ હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવાનના ગળાના ભાગે છરી જેવા હથિયાર વડે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.બનાવના સ્થળેતી બાઇક પણ મળી આવ્યું હતું, જે મૃતકનું હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટનાની જાણ થતાં સાવરકુંડલા ડીવાયએસપી કે.જે.ચૌધરી, રૂરલ-ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જુદી જુદી તપાસ શરૂ કરી હતી. મૃતકની લાશ સાવરકુંડલા હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી.મૃતક કલર કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. અને યુવાન પરણિત હોવાનું ને તેને સંતાનમાં બે દીકરી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસને સ્ત્રી પાત્રના કારણે યુવાનની હત્યા કરાયાનું જાણવા માલ્ટા પોલીસે 10 લોકોની પૂછતાછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે,દિવાળીની રાતે સાવરકુંડલાના પીઠવડી નજીક એક યુવાનની હત્યા થઈ હતી, ત્યારબાદ એસ.ઓ.જી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી પડાયો હતો. ત્યારબાદ થોડા દિવસમાં રાજુલા નજીક વાવેરા ગામ નજીક બાબરીયાધારના યુવાનની હત્યા કરાઈ હતી અને રાજુલા પોલીસે 2 આરોપી ઝડપી પાડ્યા હતા અને આજે ત્રીજી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.