Abtak Media Google News

યુવકનુ અપહરણ કરી લુખ્ખાના આતંકથી ડરી માસુમ બાળકીનું ઢીમ ઢાળી દઈ પોતે જીવન ટુંકાવી લીધુંતુ

શહેરના લક્ષ્મી સોસાયટી મેઈનરોડ પર રહેતા અને ભુપેન્દ્રરોડ પર બાલાજી મંદિર પાસે ઈલેકટ્રીકની દુકાન ધરાવતા પરેશ સાગઠીયાએ થોડા દિવસ અગાઉ પાંચ વર્ષના પુત્રને ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી આ કેસમાં અજાણ્યા ભરવાડ જેવા શખ્સો વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર મૃતક પરેશભાઈ સાગઠીયાના પિતા દિનેશભાઈ જામનગર મ્યુનિસિપલમાં કોન્ટ્રાકટર છે. તેણે જણાવ્યું હતુ કે તેના પુત્રના મોત બાદ પુત્રએ લખેલી સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા પાંચ શખ્સોએ પુત્રને હથીયાર બતાવી સ્કોર્પીઓમાં ભગાડી જઈ આંખે પાટા બાંધી મોરબી રોડ પર કોઈ વાડીમાં લઈ જઈ ત્યાં તેના પુત્રને ઝાડ સાથે બાંધી તેની નજર સામે એક વ્યકિત પાસે ઉઘરાણી કરતા હોય જયારે તેના પુત્રની નજર સામે જ તેને તલવાર મારી તથા ગોળી મારી પતાવી દીધો હોય અને લાશને ખાડો ખોદીને દાટી દીધો હતો જેના કારણે તેનો પુત્ર ડરી ગયો હોય અને પછી તે શખ્સોએ તેના પુપિસે છ લાખ માંગ્યા હતા તેના પુત્રે આનાકાની કરી ૪.૬૦ લાખ હોવાનું જણાવતા તેને રીવોલ્વર બતાવી પરિવારના સભ્યોને મરી નાખવાની ધમકી આપી પરેશભાઈ પાસેથી ૪.૬૦ લાખ પડાવ્યા હતા જયારે આ શખ્સો ઘણા સમયથી પરેશભાઈ પાછળ પડયા હતા અને તેનો પીછો કરી ડરાવી ધમકાવતા હતા જેના કારણે પરેશભાઈને મગજમાં તાવ ચડી ગયો હતો પરેશભાઈએ પોતાના લાડલા પુત્ર હેમાંકને કોઈ સાચવશે નહી તથા કાળજીનું ધ્યાન રાખશે નહી તેવું વિચારીને પોતાના વ્હાલસોયા પુત્રને ગળેફાંસો દઈ પોતે પણ આપઘાત કરી લીધોહતો પોલીસે આ પાંચ શખ્સો વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આ પાંચેય શખ્સોને ઝડપવા તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.