સંતવાણીમાં ખ્યાતનામ કલાકારો રમઝટ બોલાવશે: ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો

અષાઢી બીજ નિમિતે આજી ડેમ નજીક આવેલી કિશાન ગૌશાળા ખાતે તા.૧૪ને શનિવારે રામાપીર મંદિરે ધ્વજારોહણ અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે ૨૪ કલાકનાં પાઠ રાખવામાં આવ્યા છે.

કાર્યક્રમ અંતર્ગત બપોરે ૩ થી ૮ દરમિયાન સંતવાણીમાં વાલજીભાઈ પરસાણા ગ્રુપ, ચંદુભાઈ પટેલ, જતીનભાઈ પટેલ, કુમનભાઈ તથા ખીમજીભાઈ ભરવાડ રમઝટ બોલાવશે. આ તકે ગાય આધારીત ખેતીની માહિતી અપાશે. તેમજ જીવામૃત બનાવતા શિખવામા આવશે. આજરોજ ‘અબતક’ની મૂલાકાતે આવેલા ચંદ્રેશભાઈ પટેલ, ગોરધનભાઈ ચૌધરી, દેવશીભાઈ, મહેશભાઈ અને રાજુભાઈ સહિતનાએ કાર્યક્રમ અંગે વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.