Abtak Media Google News

બૉલીવુડના દિગ્ગજકલાકાર કાદર ખાનએ પોતાનો ૮૧મો જન્મદિવસ હમણાં ઓક્ટોમ્બરમાં ઉજવ્યો હતો. અત્યારે, તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ નાજુક હાલતમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, કાદર ખાન લાંબા સમયથી બીમાર છે, પરંતુ હવે ખરાબ પરિસ્થિતિને લીધે વેન્ટિલેટર પર રાખવામા આવ્યા છે . આ માહિતી તેમના પુત્ર સરફરાઝ ખાન દ્વારા આપવામાં આવી.

Advertisement
1545970104 Kader Khan

જાણકારી અનુસાર કાદર ખાન હાલમાં કેનેડામાં છે. જ્યાં તે પોતાના પુત્ર, પુત્રી અને તેના બાળકો સાથે રહે છે. ગયા વર્ષે તેને સારવાર માટે કેનેડા લઈ જવામાં આવ્યા હતા.

8705585C59D9C2Cfb75050Fb4E6633E8

છેલ્લા ત્રણ વર્ષમાં, કાદરખાન તેમની બીમારીને લીધે મીડિયા સામે ન આવ્યા હતા. છેલ્લે 2015માં તેઓ મીડિયાની સામે આવ્યા હતા, તે સમય દરમિયાન તે વ્હીલ ચેર પર જોવા મળ્યા હતા. માહિતી અનુસાર, તેઓ તેમના પગની તકલીફોના કારણે વ્હીલચેર પર છે. ખબરો અનુસાર તે ગયા વર્ષે હરિદ્વારમાં બાબા રામદેવના આશ્રમની મુલાકાત લીધી હતી, પણ તેનાથી કોઈ ફાયદો થયો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.