રાજુલા તાલુકાના આગરીયા નજીક પાંચાળી આહીર રાધા–કૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવાતભાઈ બલદાણીયા પર શૈલેષ ચાંદુ તેના મળતિયા ટોળકી દ્વારા જીવલેણ હિંચકારો હુમલો કરવામાં આવેલ. આ બનાવનો હેતુ એવો છે કે થોડા દિવસો પહેલા સમાજની સગીરાનું અપહરણ કરી ઉપાડી જનાર સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના માથાભારે સરપંચ દાડુ ચાંદુની સુરત પોલીસે ધરપકડ કરેલ જેથી જેના પેટમાં તેલ રેડાયું એવા શૈલેષ ચાંદુને પેટની પીડા ઉપડતા અને તેની સામે કોઈ માથુ ન ઉંચકે અને વિરોધમાં ચાલતી પ્રવૃતિમાં કોઈ ભાગ ન લે તેવા બદઈરાદાથી આ અંગેની કામગીરીની આગેવાની લેનાર અને ૧૧૦ ગામના પ્રમુખ દેવાતભાઈ પર હિંચકારો હુમલો થયેલ. જે અંગે ચર્ચા વિચારણા કરવા મહુવા રાધાકૃષ્ણ મંદિર ખાતે સમાજના આગેવાનોની મીટીંગ મળેલ અને આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ અને તહોમતદારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જેથી અન્ય આગેવાનો પર આવા કૃષ્ણનું પુનરાવર્તન ન થાય સાથે અમરેલી જીલ્લાના ડીએસપી નિર્લીપ્તરાયની કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ અને નીચેના પોલીસ સ્ટાફ કે આ લોકો સાથે મળતીયા છે તેવા અંગે પગલા લેવા રજુઆત કરવામાં અાવી છે.
Trending
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…