Abtak Media Google News

જોડિયા તાલુકા  ઓફિસ ખાતે તાલુકા કક્ષાનો  લોકપ્રતિનિધી નો પી. આર. આઈ. વર્કશોપ રાખવામા આવેલ હતો. આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.જે.ડી.નળિયાપરા, તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખશ્રી બિજલભાઈ  ખિમાણીયા, જીલ્લા પંચાયત સદ્દસ્ય સરફરાજભાઈ ખ્યાર, તાલુકા પંચાયતના સદ્દસ્ય શ્રીમતી પ્રજ્ઞાબેન કાનાણી, જોડીયા  તાલુકાના દરેક ગામના સરપંચશ્રીઓ ઉપસ્તિત રહેલ હતા.

Advertisement

આ વર્કશોપ દ્રારા સરકારશ્રીની આરોગ્યની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે આરોગ્ય સ્ટાફ ઉપરાંત લોકપ્રતિનિધિઓ દ્રારા જાણકારી મળી રહે તેવા ઊમદા હેતુસર રાખવામાં આવેલ હતો: આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફીસર દ્રારા આરોગ્યની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવામાં આવેલ હતી. આ વર્કશોપમાં ઉપસ્થિત તમામ હોદેદારો તથા લોકો આગેવાનોએ  સારી માહિતી મળી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.