પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા ના નેસડી રોડ પાસે કાનાણીનગર માં આવેલ શ્રી દેવશ્રી દિવ્યઆનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત *માં બાપ નું ઘર* આશ્રમ માં નિરાધારો ની અનેરી સેવા થય રહી છે. આ આશ્રમ માં વૃધ્ધો,બાળકો અને મનોરોગી ભાઈઓ અને બહેનો ને નિભાવવા મા આવે છે. છેલ્લા પાંચ વર્ષ થી સતત કાર્યરત છે. આ ખર્ચ ને પહોંચી વળવા વર્લ્ડ હુમન ડેવલપમેન્ટ ફેમીલી સેન્ટર, હેપ્પી હીલીંગ ફેમીલી ગૃપ તેમજ ઓસોમ હીલીંગ ફેમીલી ગૃપ દ્વારા સંપૂર્ણ ખર્ચ ભોગવે છે. હાલ માં આશ્રમ કુલ ૧૪ નિરાધારો આશ્રય લય રહ્યા છે.થોડા સમય પહેલા રાજુલા પોલીસ દ્વારા મનોરોગી ગર્ભવતી મહિલા ને માનવ મંદિર ખાતે મુકી ગયેલ. તે મનોરોગી મહિલા એ દિકરી ને જન્મ આપતાં માનવ મંદિર માં તેનો ઉછેર શક્ય ન હોય સંતશ્રી ભક્તિરામ બાપુ એ બન્ને માં દિકરી ને *માં બાપ નું ઘર* આશ્રમ માં રાખવા આજ્ઞા કરેલ હાલ માં તેનો નિભાવ આશ્રમ માં થય રહ્યો છે. આ આશ્રમ મનીષા દીદી ની નિશ્રામાં પ્રભાબેન દિવેચા ચલાવી રહ્યા છે.આ આશ્રમ માં કોઈ વૃધ્ધો કે નિરાધારો ને આશ્રય લેવો હોય કે પછી આ આશ્રમ માં સહકાર આપવો હોય તો સંસ્થા ના સ્થાપક મનીષા દીદી જેનો મો. નં. ૯૬૨૪૨ ૫૧૨૯૪ નો સંપર્ક કરવો.
Trending
- માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગ દુર્ઘટનામાં પ્રવાસીના મોત મામલે સંચાલક સહિત બેની ધરપકડ
- International Tea Day: જાણો આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઇતિહાસ અને મહત્વ
- સોમનાથમાં સ્માર્ટ મીટરને લઇને લોકોમાં હકારાત્મક અભિગમ
- રાપર : કાનમેર હત્યા કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન
- માવઠાને કારણે ઘાસચારાના ભાવમાં વધારો: પશુપાલકો ચિંતિત
- રામકથાનું શ્રવણ કરવાથી જીવનના દુ:ખ-ત્રાસ મટી જાય: પૂ. મોરારીબાપુ
- ગુજરાતીઓની સવાર ’ચા’ થી પડે ને, કાંટો પણ ’ચા’ થી જ ચડે : આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ
- તમે પાર્ક તો ઘણા જોયા હશે પણ આ અનોખુ પાર્ક જોઈ ચોંકી જશો!