Abtak Media Google News

ટુરના વ્યવસાય માટે બે બોટ ખરીદ કરી પેમેન્ટ ન ચુકવ્યું

તળાજાના પાવઠી રોડ પર રહેતા અને બોટનો વ્યવસાય કરતા વેપારી પાસેથી દિવના શખ્સે રૂ.૨૦ લાખની કિંમતની બે બોટ ખરીદ કરી પેમેન્ટ ન ચુકવી ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તળાજાના પાવઠી રોડ પર રહેતા રમજાનભાઇ હુસેનભાઇ વસાયા નામના ખોજા વેપારીએ દિવ પાસેના અહેમદપુર માંડવીના ધમેન્દ્રગીરી બાલગીરી ગૌસ્વામી સામે રૂ.૨૦ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ

નોંધાવી છે.ધમેન્દ્રગીરી ગૌસ્વામીએ ટુરિસ્ટોને ફરવા માટેના બોટનું ટેન્ડર મંજુર થયા હોવાથી તેઓએ તળાજાના રમજાનભાઇ ખોજા પાસેથી રૂ.૨૦ લાખની કિંમતની બે માલવાહક બોટ ખરીદ કરી બે દિવસમાં પેમેન્ટ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની શરત સાથે ખરીદ કર્યા બાદ બેન્ક ખાતામાં રકમ જમા ન કરાવી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.