ઉપલેટા દ્વારકાધીશ સોસાયટી સામે ભવ્ય શિખર બંધ સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ પાંચ વર્ષ પહેલા કરવામાં આવેલ હતું. તે મંદિરના ધર્મનંદન સ્વામી દાતાઓ અને હરિભકતોના સહયોગથી મંદિરને વર્ષ પુરા થતાં તે નિમિતે ભવ્ય પંચાશિબ્દ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. તેમાં અહિના તાલુકા શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય સમીયાણો બાંધી સ્વામીનારાયણ સત્સંગ પારાયણનું વિદ્વાન વકતા હરીપ્રસાદ સ્વામી (અથાણાવાળા)ના વ્યાસાશને આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભગવાનનો અન્નકોટ શાકોત્સવ સહીતના ભવ્ય મનોરથો તદ ઉપરાંત આઠ દિવસ સુધી કથા સાંભળવા આવતા બહારગામ તથા ગામના તમામ શ્રોતાઓ માટે બન્ને ટાઈમ ભોજન પ્રસાદ અને રહેવાની ઉત્તમ સગવડો કરવામાં આવી છે.

આ પરાયણમાં ધામેધામથી સંતોે પધારી આર્શિંવચન અને દર્શનનો લાભ આપે છે. આવા વિશાળ ધર્મોેત્સવના આયોજન ઘર્મનંદન સ્વામીનું આજે ઉપલેટા તાલુકા પ્રિન્ટ અને ઈલેકટ્રીક મિડીયાના પત્રકારો દ્વારા શાલ ઓઢા હારતોરા કરી ઉષ્માભર્યું સન્માન કરવામાં આવેલ અને વકતા હરીપ્રસાદ સ્વામીનું પણ સન્માન કરેલ હતું.

આ પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી બોલતા હરીપ્રસાદ સ્વામીએે યુવાનોને દા‚ જુગાર તમાકુ બીડી જેવા વ્યસનો ત્યજવા અપીલ કરતા જણાવેલ કે ભગવાન સ્વામીનારાયણ પણ વ્યસનમુકત તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ધરતી ઉપર આવ્યા હતા અને તેમણે ખાસ પત્રકારોને ઉદેશી બોલતા જણાવેલકે પત્રકારએ સમાજની આંખ છે લોકો  વ્યસન મુકત અને સમાજ તંદુરસ્ત બને એવા પ્રયાસો અને જાગૃત લાવવાની આજના સમયમાં પત્રકારોની જવાબદારી અને ફરજ થઈ પડે છે.

આ પ્રસંગે પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, ઉપપ્રમુખ જગદીશભાઈ રાઠોડ, મહામંત્રી ભરતભાઈ રાણપરીયા, કાનભાઈ સુવા, વિપુલભાઈ ધામેચા, જયેશભાઈ મારડીયા, બી.એન. શુકલ અળશીભાઈ આહીર, ભાવેશ ગોહેલ, કિરીટભાઈ રાણપરીયા સહિતના પત્રકારો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.