દીવમાં કોરોના ના કુલ ૧૪ કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાંથી અત્યાર સુધી કુલ ૧૦ દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ દીવમાં ચાર કેસ પોઝીટીવ છે જે દિવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અન્ય શહેરો કરતા દીવ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા ખૂબ જ ઓછી છે જે ખરેખર દીવ પ્રશાસન અને દીવ ના લોકો ની સમજદારીને આભારી છે. તારીખ ૧લી જુલાઇ ડોક્ટર ડે ના દિવસે દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઠ વ્યક્તિઓ નો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી કરીને દીવ પ્રશાસન અને દિવના લોકોમાં ખુશીની લાગણી વહેતી થઈ હતી. જ્યારે બીજી તરફ ક્ધટેન્મેન્ટ ઝોન માં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા દીવ કોલેજ ના મહિલા પ્રોફેસરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલા પ્રોફેસર લોકોની સેવા કરતા કરતા કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવેલા હોય.દીવના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ મહિલા પ્રોફેસર ઘોઘલા માં સરકારી ક્વાર્ટર્સમાં રહેતા હોવાથી સરકારી ક્વાટર્સ ને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે તેમજ તેના સંપર્કમાં આવનાર અમુક વ્યક્તિઓને ફેસીલીટી કોરોનટાઇન કરવામાં આવ્યા છે
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ