Abtak Media Google News

મચ્છરજન્ય રોગથી બચવા અંગે માહિતી અને પગલા લેવાશે

જામનગર જિલ્લાના જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંતર્ગત ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીઓથી બચવા તકેદારી ભાગરૂપે ધન્વંતરી રથનું આયોજન કરવામાં આવ્યુ છે.

જુલાઈ માસ ડેગ્યું વિરોધી માસ અન્વયે  જામ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  દ્વારા કામગીરી કરવામાં આવી. ડેગ્યું .મેલેરિયા. ચિકનગુનિયા.રોગચાળો અટકાવવા માટે પી.એચ.સી.હેઠળ આવતા ૧૮ ગામોમાં કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવવા પગલા લઈ રહ્યા છે. જેમાં હોમ ટુ હોમ  સર્વેની કામગીરી , ગપી ગબુચીયા માછલી મુકવી. ,તાવના કેશ ને સ્થળ ઉપરજ સારવાર તેમજ આરોગ્ય શિક્ષણ દ્રારા લોકોને  રોગ અટકાયતી  પગલાની જાણકારી આપવામાં આવશે.

આ ઉપરાંત ઘન્વંતરી રથ દ્વારા ગામોમાં  ડેગુ.મલેરિયા.ચિકનગુનિયા રોગ ન ફેલાઈ એમાટે ઘરના વપરાશના પાણીની ટાંકી.ટાંકા ઢાકવા. અગાસી પરના ભંગાર નો નિકાલ કરવો .પાણીથી ભરાયેલ ખાડા ખાબોચિયા પૂરી દેવા. આરોગ્ય ની ટીમ  સર્વે માટે આવે ત્યારે ગ્રામજનો એ સહકાર આપવો મચ્છર ન થાય તે માટે  ખુલ્લા પાણીના વપરાશના  ટાંકામાં એબેટનામની  દવા નાખવામાં જેથી મચ્છરજન્ય રોગથી બચી શકાય છે.મોટા  સ્થિર પાણી ભરાયેલ પાણીમાં ગપી.ગ્બુચીયા માછલી મુકેવી  આં કામગીરી નું મોનીટરીંગ સફળ બનાવવા માટે પી, એચ. સી.ના મેડીકલ ઓફિસર ડો.એસ. એચ. ધમસાણીયા તથા ધનવંતરી રથના ટીમ લીડર ડો.ચિરાગ દોમડીયા અને તાલુકાના ટી.એમ. પી.એસ. વરુભાઈ. પી.એચ. સી.ના એમ.પી.એસ. કે.એચ. રાઠોડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.