જુનાગઢ જિલ્લામાં કોરોના એ વધુ એક નો ભોગ લીધો છે તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૭ લોકોને સંક્રમિત કર્યા છે, જેમાં માણાવદરના સી.એચ.સી. ના એક આરોગ્ય કર્મીઓ સમાવેશ થાય છે. બીજી બાજુ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સંક્રમણ વધતા ગઇકાલના ૩૭ મળી અત્યાર સુધીના પોઝિટિવ જાહેર થયેલ દર્દીઓની સંખ્યા ૯૬૩ પર પહોંચી છે. દરમિયાન જૂનાગઢના જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતા દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ ગઇકાલે જૂનાગઢ જિલ્લામાં ૩૭ પોઝિટિવ કેસ સામે આવેલ છે જેમાં જૂનાગઢ શહેરના ૧૬ લોકો કોરોના ગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળેલ છે, આ સિવાય જૂનાગઢ ગ્રામ્યમાં ૬, કેશોદના ૫, માંગરોળના ૧ અને વંથલીના ૨, માળિયા હાટીના ના ૧, માણાવદરના ૧, મેંદરડા ના ૧ અને વિસાવદર ના ૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવેલ છે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ