દીવમાં છેલ્લા બે દિવસમાં ૯ લોકો કોરોનાથી સંક્રમિત થયા. તેમજ ૬ દર્દીઓ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંઘે પ્રેસનોટના માધ્યમથી જણાવ્યું હતું કે દિવમાં તારીખ ૮/૯/૨૦૨૯ની મોડી સાંજે જેપી ટેસ્ટમાં બે વ્યક્તિઓ પોઝિટિવ મળી આવ્યા હતા તેમજ તા ૯/૯/૨૦૨૦ ના રોજ ૩ વ્યક્તિઓ રેપિડ ટેસ્ટ માં પોઝિટિવ આવ્યા હતા તેમજ ૪ વ્યક્તિઓ આર ટી પી સી આર ટેસ્ટમાં પોઝિટિવ આવતા છેલ્લા બે દિવસમાં દીવ જિલ્લામાં કુલ મળીને ૯ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. પોઝિટિવ આવનાર તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ૪ દર્દીઓ દીવ થી બહાર સારવાર લઇ રહ્યા હતા તે સ્વસ્થ થઈને દીવ પરત ફર્યા છે અને ૨ દર્દીઓ દીવની સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ હતા તે સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે. આ સાથે દીવમાં કોરોનાના ૩૪ એક્ટિવ કેસ છે. પાંચ વ્યક્તિઓ દીવથી બહાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ ૨૩૨ દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ થઇ ચુક્યા છે.
Trending
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું