સહકારી ક્ષેત્રના ખેરખા એવા જયેશ રાદડીયા અને ધારાસભ્ય ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત બનાવવા તરફ આગેકુચ કરતા અરવિંદભાઈ રૈયાણી વચ્ચે આજે રા.લો. સંઘની બેઠક દરમિયાન જાહેરમાં રોડ ઉપર ગહન ચર્ચા થઈ હતી. જે તસ્વીર એવો પ્રશ્ર્ન કરે છે કે, શું રા.લો.સંઘ વાળી માર્કેટ યાર્ડમાં થવાની પૂર્વ ભૂમિકા બંધાઈ રહી છે ? આરડીસી બેંકનું પરિણામ આવ્યું ત્યારે ‘અબતક’એ અહેવાલ લખ્યો હતો કે, રા.લો.સંઘમાં નવી વ્યક્તિનો પ્રવેશ થશે. આ અહેવાલ અક્ષરસ: સાચો ર્ઠ્યો છે અને આજે ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની તાજપોશી થઈ છે. જે રીતે સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો ઉદય કે પગપેસારો થયો છે તે હાલ સહકારી ક્ષેત્રમાં હડકંપ મચાવી રહ્યો છે. વધુમાં જયેશ રાદડીયા આરડીસી બેંકના ચેરમેન બન્યા પછી રાજકોટ ડેરીમાં અને રા.લો. સંઘમાં ફેરફાર થયા છે ત્યારે હવે શું માર્કેટ યાર્ડમાં જુથવાદ ખત્મ થઈ એકજુટ થઈ ફેરફાર કરાશે કે ખાંડા ખખડાવ્યા ફરી બધા નેતાઓને ઉપરી આદેશ મુજબ ન છુટકે એકજૂટ થઈ પરિવર્તનને સ્વીકારવું પડશે ? આનો જવાબ આવતા દિવસોમાં યાર્ડની ચૂંટણી સમયે જ ખબર પડશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો