વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેત્રી અનુષ્કા શર્માને સરકારના સ્વચ્છતા એ જ સેવા અભિયાન સાથે જોડાવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. વડાપ્રધાનએ કહ્યું કે , તેની હાજરી બીજા લોકો ને પણ જોડાવા માટે પ્રેરિત કરશે, અનુષ્કા સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ છે. અનુષ્કા શર્માએ મોદીને 67માં જન્મદિવસપર અભિનદન પાઠવ્યું, અને કહ્યું હતું કે જન્મદિવસની શુભકામના મોદીજી સ્વચ્છતા એજ સેવા અભિયાન સાથે જોડાવાનું નિમંત્રણ આપવા માટે ધન્યવાદ.અનુષ્કાએ વડાપ્રધાન તરફથી મળેલા પાત્રને પણ શેર કર્યો છે, અને સાથે લખ્યું છે કે આગામી દિવસોમા અમે ગાંધી જયંતિ ઉજવીશું. પેઢીઓ અને સરહદપાર અબજો લોકોના પ્રેરણાસ્ત્રોત મહાત્મા ગાંધીએ અનુભવ્યું કે, સ્વચ્છતા પ્રત્યેનો આપણો અભિગમ, સમાજ પ્રત્યેના આપણાં અભિગમને દર્શાવે છે બાપુ સામુદાયિક ભાગીદારીના માધ્યમથી સ્વચ્છતા મેળવવામાં વિશ્વાસ ધરાવતા હતા. તેઓ માનતા હતા કે, દરેકે સ્વચ્છતા જાળવવી જોઈએ. આવો આપણે પણ સ્વચ્છતાનો સંકલ્પ કરીએ. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, સ્વચ્છ ભારત ગરીબ, દલિત અને હાંશિયામાં પડેલા લોકો માટે કરવામાં આવતી સૌથી મોટી સેવા છે. સિનેમા આ અંગે ફેરફાર લાવવા માટેનું એક પ્રભાવી મધ્યમ છે. અનુષ્કાએ ટ્વીટ પણ કર્યું, હું સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈને ખૂબ જ સન્માનિત અનુભવિ રહી છું અને સ્વચ્છતા એ જ સેવા માટે કામ કરવા માગું છું.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ