Abtak Media Google News

 

Advertisement

6,9 અને 11 ફેબ્રૂઆરીએ અમદાવાદમાં ત્રણ વનડે અને 16,18 તથા 20મીએ કોલકતામાં ત્રણ ટી.20 મેચ

 

અબતક, રાજકોટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી ફેબૂઆરી માસમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વનડે મેચ તથા કોલકતાના ઈડન ગાર્ડન ખાતે ત્રણ ટી.20 મેચ રમાશે બીસીસીઆઈ દ્વારા ગત શનિવારે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આગામી ફેબ્રુઆરી માસમાં રમાનારી વનડે અને ટી.20 સિરિઝ માટે સ્થળ ફેરવવા અંગેની જાહેરાત કરી હતી. ક્રિકેટર સપોટીંગ સ્ટાફ, બ્રોડકાસ્ટ ટીમ સહિતના લોકોએ લીમીટેડ સિરિઝ માટે બહુ ટ્રાવેલીંગ ન કરવું પડે તે માટે સ્થળમાં ફેરફાર કર્યો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6,9 અને 11મી ફેબ્રુઆરી અનુક્રમે પ્રથમ, બીજો અને ત્રીજો વનડે મેચ રમાશે જયારે કોલકતાના ઈડન ગાર્ડન ગ્રાઉન્ડ ખાતે 16,18 અને 20મી ફેબ્રુઆરીએ ટી.20 મેચ રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.