ઈન્ડિયન એરફોર્સનું ચોપર Mi-17 V5 અરૂણાચલના તવાંગ પાસે ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. આ દુર્ઘટનાને કારણે 5 જવાનનાં મૃત્યુ થયા હોવાની વિગત મળી છે. જયારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ બે લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યે એર મેઇન્ટનન્સ મિશનના ભાગરૂપે અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી Mi-17 V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બાદમાં કોઈ કારણસર આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટના કયા કારણસર સર્જાઈ તે અંગે સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપી દીધાં છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે