Abtak Media Google News
  • પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આથી જ યોગ ગુરુ રામદેવ કોર્ટમાં પહોંચ્યા છે.

National News : અગાઉ 19 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતના કેસમાં જાહેરમાં માફી માંગવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.

Advertisement

પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આથી જ યોગ ગુરુ રામદેવ કોર્ટમાં પહોંચ્યા છે.

19 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટે પતંજલિની ભ્રામક જાહેરાતના કેસમાં સુનાવણી માટે 23 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. અગાઉ 19 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતના કેસમાં જાહેરમાં માફી માંગવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. સુનાવણી દરમિયાન રામદેવ અને બાલકૃષ્ણ બંને હાજર હતા અને વ્યક્તિગત રીતે સર્વોચ્ચ અદાલતમાં બિનશરતી માફી માંગી હતી.

સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી

જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે તેમની માફી અંગે સંજ્ઞાન લીધું હતું, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે તેણે આ તબક્કે કોઈ છૂટ આપવાનો નિર્ણય લીધો નથી. ખંડપીઠે બાલકૃષ્ણને કહ્યું હતું કે, ‘તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ તમે એલોપેથીને ખરાબ કરી શકતા નથી.’ સાથે જ રામદેવે કોર્ટને કહ્યું હતું કે તેમનો કોઈ પણ પ્રકારે કોર્ટનો અનાદર કરવાનો ઈરાદો નથી. જો કે, બેન્ચે બાલકૃષ્ણને કહ્યું હતું કે તેઓ (પતંજલિ) એટલા નિર્દોષ નથી કે તેઓ જાણતા ન હોય કે સુપ્રીમ કોર્ટે આ મામલે તેના અગાઉના આદેશોમાં શું કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.