જામનગર રહેતા અને કર્મકાંડી નિર્દોષ ગરીબ બ્રાહ્મણ હિતેશભાઈ લાભશંકર જોષી પર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેના મળતિયાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત નો દુરુપયોગ કરવામાં આવેલ દમન અંગે ગોંડલના કર્મકાંડી ભૂદેવો દ્વારા રેલી કાઢી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન જાથાના નેજા હેઠળ સમાજ સેવાના નામે નિર્દોષોને લખવાની જયંત પંડ્યા દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલી રહી છે શિક્ષણ સમિતિની શાળામાં બાળકોની શિષ્યવૃત્તિ પૈસાવાળા કરવાના આરોપમાં જયંત પંડ્યા સસ્પેન્ડ થયેલ છે આમ તેનો ઇતિહાસ ભ્રષ્ટાચારી દેખાઈ આવે છે આ સંસ્થાનો રજિસ્ટ્રેશન રદ કરવા માં આવે તેવી અને તેના આવા કામમાં સાથ આપનાર જવાબદાર પોલીસ કર્મચારી અને બોગસ ગ્રાહક તરીકે ભાગ ભજવનાર તેની ટોળકીના સભ્યો પણ કાયદાકીય પગલાં લેવા અંતમાં માંગ કરી હતી આવેદન પત્ર આપવામાં ગોંડલના કર્મકારી બ્રાહ્મણ પરિવારો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.