કેરળના કોચ્ચિન શિપયાર્ડમાં વિસ્ફોટ થતાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હાલ તો આ વિસ્ફોટ કઈ રીતે થયો, તે અંગે કોઈ જ જાણકારી મળી નથી. જો કે પ્રાથમિક વિગત મુજબ ONGCનું સાગર ભૂષણ નામનું આ શિપ સમારકામ માટે કોચ્ચિન શિપયાર્ડ લવાયું હતું. આ દરમિયાન વોટર ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ અહીં આગ લાગી ગઈ હતી, જેના પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયાં છે. ઘટનાસ્થળે બચાવ દળના સભ્યો પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. તો પોલીસે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દીધો છે.
Trending
- મોરબી: શાકભાજીની લારીએ પ્રૌઢને માર મારી ખંડણી વસુલી
- સુરત : ભવાનીવડ ન્યુ PM આંગણીયામાં CID ક્રાઇમના દરોડા
- ‘સ્પા’માંથી બાળ મજૂરને મુક્ત કરાવતી પોલીસ
- સંશાધનો કે મિલકત પરના અધિકારો સમુદાયના કે ખાનગી વ્યક્તિના ?
- સૌરાષ્ટ્રનું 81.60% પરિણામ: 85.88% સાથે બોટાદ જિલ્લો પ્રથમ
- NOAAએ એક ખતરનાક તોફાનની આગાહી કરી, જેની પૃથ્વી પર કેવી અસર થશે ??
- બમ્પર ઓફર સાથે Jioનો નવો પ્લાન લૉન્ચ
- અબ્દુલ સાંધ મર્ડર કેસમાં કુખ્યાત રફીક અને જિહાલ સાંધની ગોળી મારી હત્યા