રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૦ દિવસ થયા રાજયના વિવિધ ગામોમાં સિંચાઈ અને પીવાનું પાણી એકત્ર થાય તે માટે સુજલામ સુફલામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિવિધ તળાવો સ્વૈચ્છિક સંસ્થાના સહકારથી ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઈકાલે મળેલી ઉપલેટા માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરોની મિટીંગમાં સર્વાનુમતે ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી ઉપલેટા વિસ્તારના તળાવો ઉંડા ઉતારવા માટે રૂપિયા અઢી લાખનું ભંડોળ ફાળવવામાં આવેલ હતું ત્યારે ધોરાજીના પ્રાંત અધિકારીને ચેક અર્પણ કરતા ઉપલેટા યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, સેક્રેટરી રાજભાઈ ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયા અને ઈન્ચાર્જ પ્રવિણભાઈ માકડિયા અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- ખોખડદળી નદીકાંઠે ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં 20 ટન અખાદ્ય જથ્થાનો નાશ
- મ્યાનમારમાં સાંપ્રદાયિક હિંસા ચરમસીમાએ, ભારતે દરમિયાનગીરી કરવાની જરૂર
- મેઘવાળ સમાજની 11 દીકરીઓ સમુહલગ્નમાં પ્રભુતામાં પગલા માંડશે
- જિલ્લા પંચાયતનું નિંભર તંત્ર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનું ભૂલી ગયું..!
- 25 પ્લોટ પર સિટી ફોરેસ્ટ ઉભા કરવાની કોર્પોરેશનની વિચારણા
- મનને શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મૂનિ:પૂ. ડુંગરસિંહજી મ.સા.
- સ્ટેન્ટ નાખ્યાં બાદ હૃદયરોગના દર્દીઓ સામાન્ય રીતે જીવન જીવી શકે છે
- બાળકની ભૂલો પર તમે પણ આજ રીતે ગુસ્સો કરો છો..?