ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દંપતીનું બાઈક વાંકાનેરના જડેશ્વર પાસે સ્લીપ થતા પતિનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે પત્નીને પણ ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના સજનપર ગામે રહેતા ગીરીશભાઈ મોહનભાઈ ફૂલતરીયા પોતાના મોટર સાઈકલજીજે ૩ પીપી ૫૬૯૬ ઉપર પોતાની પત્ની કૈલાશબહેન સાથે જતા હતા તે દરમિયાન વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ નજીક બાઈક સ્લીપ થઇ જતા ગીરીશભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી તો પત્નીને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગીરીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો