Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીની નૂતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે, અખંડ યજ્ઞ પરાયણ ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસિક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે રાજકોટ તેમજ તેની આજુબાજુ વિસ્તાર–ગુંદાસરા, રીબ, પારડી, પડવલા, વેરાવળ, શાપર, ઢોલરા, મેંગણી, માખાવડ, પાનસડા, લોધિકા, વાવડી વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્તિ રહ્યા હતા.શરુઆતમાં સ્વામી ધર્મવત્સલદાસજી સ્વામી થતા શાસ્ત્રી મુનિવત્સલદાસજી સ્વામીએ  તેમજ ભકતિવેદાંત સ્વામીએ મહારાજના લીલા ચરિત્રોની કથા કરી હતી ત્યારબાદ અખંડ યજ્ઞ પરાયણ પુરાણી ભકિતપ્રકાસદાસજી સ્વામીએ મહારાજના લીલા ચરિત્રો અને ગઢપુરમાં બિરાજી મહારાજે જે જે લીલાઓ કરેલી તેની રસભર વાતો કરી હતી.

હરિદ્વાર ઋષિકેશ યાત્રા કરી રહેલ પુ. બાલકૃષ્ણદાસજી સ્વામીએ ટેલિફોની આશીર્વાદ આપ્યા હતા. હરિભકતો સાથે નાના બાળકો આવેલ તેઓએ કથા દરમ્યાન હોર્સ રાઇડીંગ, સ્વીમીંગ, ક્રિકેટ, વગેરે રમતોની મોજ માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.