Abtak Media Google News

અલ્હાબાદ હાઈકોર્ટે બહુચર્ચિત આરૂષિ અને હેમરાજ મર્ડર કેસમાં CBI અદાલતના ફેંસલા વિરૂદ્ધ રાજેશ તલવાર અને નૂપુર તલવારની અરજી પર ગુરૂવારે નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે તલવાર દંપતિને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તેમની સુનાવણીમાં કહ્યું છે કે, એવા કોઈ પૂરાવા મળ્યા નથી જે તલવાર સંપતિને આરોપી સાબીત કરી શકે. હાઈકોર્ટ તલવાર દંપતિની આ જીવન કેદની સજા પણ રદ કરી દીધી છે.

વર્ષ 2013માં CBIની સ્પેશિયલ કોર્ટે તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ચૂકાદા વિરૂદ્ધ દંપતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.