Abtak Media Google News

રામનગરથી 60 કિમી દૂર અકસ્માત

ઉત્તરાખંડના રામનગરથી અલમોડા જઈ રહેલી એક બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મંગળવાર સવારે ખાઈમાં જઈ પડી છે. દૂર્ઘટના તોતમ વિસ્તારમાં થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બસમાં કુલ 24 પેસેન્જર સવાર હતા, જેમાંથી 10નાં મોત નિપજ્યાં છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને પોલીસના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ દેઘાટથી રામનગર આવી રહી હતી. જ્યાં બસ ખાઈમાં પડી તે સ્થળ રામનગરથી 60 કિમી દૂર છે.

અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ મંગળવાર સવારે પાંચ વાગ્યે રામનગર (નૈનીતાલ) જવા રવાના થઈ હતી. દૂર્ઘટના સવારે પોણા નવ વાગ્યાની આસપાસ થઈ છે. બસમાં લગભગ 24 પેસેન્જર બેઠાં હતા. ઈજાગ્રસ્તોને રામનગર સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.