Abtak Media Google News

નવાબ મલિક અને અનિલ દેશમુખની અરજી મામલે બોમ્બે હાઈકોર્ટના ચુકાદામાં ફેરફાર કરવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદો ચોક્ક મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિક અને અનિલ દેશમુખની અરજી સંદર્ભે આપવામાં આવ્યો છે પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટ કોઈ અવલોકન કરે ત્યારે તે અવલોકનને કાયદાની સમકક્ષ જ ગણવામાં આવે છે. સુપ્રીમે આરોપીના કટઘરામાં રહેલા અને હાલ જેલમાં રહેતા બંને લોકોને વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી આપી નહી. આથી રાજ્યસભાબાદ વિધાન પરિષદની  ચૂંટણીમાં મલિક અને દેશમુખ મતદાનનો અધિકાર મળ્યો નહીં.

સુપ્રીમે જે રીતે અવલોકન કર્યું છે તે મુજબ જેલમાં રહેલા આરોપીને બહાર નીકળી મતદાન કરવાનો અધિકાર આપી શકાય નહીં તેવો સ્પષ્ટ છે. આરોપ સાબિત થયા બાદ કેદીને મતદાનનો અધિકાર જેલની અંદર જ આપવામાં આવે છે પરંતુ આરોપીના કટઘરામાં રહેલાને બહાર નીકળી મતદાન કરવાનો અધિકાર મળે નહીં તેવો સુપ્રીમે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મુંબઇની વડી અદાલતે નવાબ મલિક અને અનિલ દેશમુખને મતદાનની પરવાનગી આપી નહી. ત્યારબાદ તેઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. મતદાન કરવાની પરવાનગી જો આપી તો નવાબ મલિક અને અનિલ દેશમુખ મતદાન માટે વિધાન ભવનમાં  થઇ શકશે એવો સવાલ ચુકાદો આપતાં પૂર્વે સુપ્રીમ કોર્ટે આ બંનેના વકીલનો કર્યો હતો. આથી મલિક અને દેશમુખને મતદાન માટે પરવાનગી મળવાની શક્યતા વર્તાઇ હ તી. પણ આખરે સુપ્રીમ કોર્ટે મતદાન કરવાની પરવાનગી આપી નહિ.

આથી એન.સી.પી.ના બંને ધારાસભ્યોના મત ઓછા રહ્યા હતા. મતદાન કરવાનો સંવિધાનિક અધિકારી હોય તો પણ અનિલ દેશમુખ અને નવાબ મલિકને મતદાન માટે પરવાનગી આપી શકતા નથી. મુંબઇની વડી અદાલતના ચુકાદામાં અમે કોઇપણ ફેરફાર કરીશું નહિ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.