Abtak Media Google News

એસ.પી. હરેશ્વર સ્વામીનું સરાહનીય પગલું

પોલીસ વડાએ આ ભંડોળ પોસ્ટની સુકન્યા સમૃઘ્ધિ યોજનામાં જમા કરાવ્યું

થોડાક દિવસો પહેલા પૂર્વ હોમગાર્ડ જવાન ભુપેન્દ્ર બારીયા નુ બીમારી ના કારણે દુ:ખદ અવસાન થયેલ જે બાબતની જાણ દીવ એસ. પી હરેસ્વર સ્વામી સાહેબને થતાં તેમણે બંને પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જને તેમજ આઈ. આર. બી. એન ના આસીસ્ટન્ટ કમાન્ડન્ટ સાહેબ ને જાણ કરી તેના પરિવાર ને નાણાંકીય મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરેલ. જેના અનુસંધાનમાં તમામ પોલીસ, હોમગાર્ડ તથા આઈ. આર. બી. એન ના જવાનોએ યથાયોગ્ય મદદ કરતા તેમા એસ.પી સાહેબ તેમજ અન્ય અઘીકાર ઓ એ મદદ કરી રૂપિયા એક લાખ જેટલી રકમ એકત્રિત કરી આ મૃતક ની દિકરી શુભાંગીની ના નામે દીવ પોસ્ટ ઓફિસ મા તેણીનું એકાઉન્ટ ખોલાવી સૂકનયા સમૃધ્ધિ યોજનામાં જમા કરાવેલ. આજ રોજ દીવ એસ. પી ઓફિસ ખાતે આયોજિત સંપર્ક સભા દરમિયાન એસ. પી.ના હસ્તે મૃતકની દિકરીને પાસબુક આપવામાં આવેલ તેમજ તમામ સ્ટાફ વતી તેના ઉજ્જ્વળ ભવિષ્યની કામના કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.