Abtak Media Google News

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા. આ કડીમાં અમિત શાહ ગાયક લતા મંગેશકર અને ઉદ્યોપતિ રતન ટાટાને પણ મળવાના છે. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.

જે અંતર્ગત આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેસાથે પણ મુલાકાત કરશે. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે 350 સીટો જીતવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.