Abtak Media Google News

મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે બે દિવસ (3 અને 4 જૂલાઈ) ગુજરાતની મુલાકાતે આવશે.

Advertisement

4 જુલાઈના રોજ અમિત શાહ 17મી વખત મંગળા આરતીના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર પરિવાર સાથે મંગળા આરતી ઉતારશે.

રથયાત્રાના દિવસે મંગળા આરતીની પરંપરા અમિત શાહ આ વખતે પણ જાળવી રાખશે. અને 4 જુલાઇના રોજ સવારે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પણ અમિત શાહ ભાગ લેશે. અમિત શાહ પોતાના પરિવાર સાથે રથયાત્રાના દિવસે મંગળા આરતી કરતા હોય છે અને આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર તેઓ આ આરતી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.