Abtak Media Google News

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંગળવારે રાજભવનમાં મધ્યપ્રદેશના 27મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ તેમને શપથ અપાવ્યા. સોમવારે રાતે 8.25 વાગે તેઓ ભોપાલ પહોંચ્યા. 76 વર્ષના આનંદીબેને દીકરી અનાર, દીકરા સંજય અને પરિવારના 15 સભ્યો સાથે ગાંધીનગરથી ઉજ્જૈન સુધી 415 કિલોમીટરની મુસાફરી બસ દ્વારા કરી. રાજ્ય સરકારે સ્ટેટ પ્લેન મોકલવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ તેમણે બસમાં જ મુસાફરી ચાલુ રાખી. આ દરમિયાન રસ્તામાં રોડ શૉ જેવો માહોલ રહ્યો.

વિવિધ સ્થળોએ થયું સ્વાગત

– આનંદીબેનનો કાફલો સાંજે 4 વાગે ઉજ્જૈન પહોંચ્યો. અહીંયા તેમણે પરિવારની સાથે મહાકાલના આશીર્વાદ લીધા. અહીંયાથી તેઓ રાજભવનની સરકારી ગાડીથી ભોપાલ માટે રવાના થઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.