Abtak Media Google News

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરના ભત્રીજા જયદીપભાઈ ડાંગર પર લક્ષ્મીવાડીમાં સાત માથાભારે શખ્સોએ હુમલો કર્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં ઘવાયેલા જયદીપભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

Advertisement

મળતી વિગતો મુજબ જયદીપભાઈ ડાંગર ઉપર જશા ભરવાડ સહિતના ૭ શખ્સોએ લક્ષ્મીવાડી ચોક ખાતે ખૂની હુમલો કર્યો હતો.

જશા ભરવાડ, તેના બે પુત્રો અને ભત્રીજાઓએ તલવાર, છરી, ધોકા – પાઇપ વડે જયદીપભાઈ ડાંગર ઉપર તૂટી પડ્યા હતા. ખૂની હુમલાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા જયદીપભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જયદીપભાઈ ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયત્ન કરાયો હતો. હુમલામાં ગંભીર ઇજા થતા હાલ જયદીપભાઈને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ બાબતે અશોકભાઈ ડાંગરએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે હુમલાખોરો સાથે અમારે કોઈ અંગત અદાવત નથી. આ લોકો અસામાજિક તત્વો છે જેમણે હુમલો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.