Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Abtak Special»ભજે તે તરે : પ્રમુખ સૌરભ
Abtak Special

ભજે તે તરે : પ્રમુખ સૌરભ

By ABTAK MEDIA28/06/20233 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

પ્રાચીનયુગથી આજપર્યંત માનવ સુખ, સુવિધા અને સગવડ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યો છે. મનુષ્ય પોતાના સુખમાં અભિવૃદ્ધિ કરવા પ્રતિક્ષણ કંઈક નવું વિચારે છે અને તેને અમલમાં મૂકી પૂર્ણ કરે છે.

એક સમયે બળદગાડા અને ઘોડાગાડીમાં મુસાફરી કરતો માણસ આજે વિમાનમાં ફરતો થયો. કબુતર દ્વારા સંદેશવ્યવહાર કરતો માણસ આજે મોબાઈલ અને ઈમેલ વાપરતો થયો. લાકડાં કે છાણાનું ઈંધણ વાપરી રસોઈ પકવતો આજે ઓવન કે સ્ટવ વાપરતો થયો. પોતાની જ્ઞાનપિપાસાને સંતોષવા માટે ગ્રંથોમાં ઊંડાણ શોધતો આજે ઈન્ટરનેટથી આખી દુનિયાને મુઠ્ઠીમાં રાખતો થયો. પર્ણકુટીરમાં નિવાસ કરતો મનુષ્ય આજે ગગનચુંબી ઈમારતોમાં વસવાટ કરવા લાગ્યો. પત્રાવળામાં ફળાહાર કરતો માણસ આજેપંચતારક – સપ્તતારક હોટલોમાં મિજબાનીની ઝયાફત ઉડાવતો થયો. આજના ભૌતિકયુગમાં 3ડી, 5ડી અને 7ડી ની કાલ્પનિક દુનિયા ખડી કરી તેની સહેલગાહ માણતો થયો, આજે માણસ ચંદ્ર ઉપર ગયો ધરતીના પેટાળમાં જઈ આવ્યો.

ખરેખર, લાઈફને બદલવા માટે માનવે લાઈફસ્ટાઈલ બદલી નાંખી. પરંતુ મૃગજળ સમ આ સુખને પામવા માટે મહદ્અંશે વ્યક્તિ કંઈક ગુમાવતો પણ થયો અને કંઈક મેળવતો પણ થયો છે.

ALSO READ  વિપક્ષોની બેઠક વહેંચણીથી કોંગ્રેસને નુકસાન ?

કંઈક વધારે મેળવવાની દોડમાં માનવ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે.કોઈ સંબંધો ગુમાવે છે તો ઘણા લોકો જીવનના મૂલ્યો અને સંસ્કારને નષ્ટ કરે છે. ઘણા તો મૃત્યુને પણ આહવાન આપી બેસે છે. નંદરાજાએ ભગવાનને ભૂલી ધનને જ પરમેશ્વર માની આખી પૃથ્વીનું ધન ભેગુ કર્યું. પરંતુ તે જ ધનના અતિલોભે કરીને તેનુ મૃત્યુ થયુ.

આ તો થઈ કંઈક ગુમાવવાની વાત પરંતુ વધારે મેળવવાની લ્હાયમાં માનવ માન, ઈર્ષ્યા, ક્રુરતા મેળવે છે. અને સંસારનું અહીત કરવા લાગે છે. એક રાજ્યના રાજકુમારને (નેપાળના રાજકુમાર દિપેન્દ્ર) પોતાના શત્રુ પરિવારની યુવતી સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો. પરંતુ માતાએ ના પાડતા અતિશય ક્રોધે ભરાઈ ક્રુર રીતે પોતાના પરિવારની જ કરપીણ હત્યા કરી અને પોતે પણ મૃત્યુને વહાલું કર્યું.

ખરેખર, ભૌતિક સુખના નશામાં રચ્યોપચ્યો રહેતો માનવ શાશ્વતસુખના નિધિ એવા સુખસ્વરૂપ પરમાત્માને પણ ભૂલી જાય છે. ત્યારે તેનું પરિણામ ખુબ માઠુ આવતું હોય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત સારંગપુર પ્રકરણના 10માં કહે છે, અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્ય-માંસનું ભક્ષણ, વટલવુ-વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મ તેને વિષે જ ભરપૂર હોય, ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં એના સગાં હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે.

ALSO READ  શેરબજાર ટના..ટન.. તો મ્યુચ્યુઅલ ફંડ ધના..ધન..! 

અંતમાં જે પરમાર્થી વ્યક્તિ પરહીત કરતો હોય છે તે પોતાના સ્વાર્થ માટે લાખો લોકોની શાંતિની અખંડિતાને હણી નાંખવા મચી પડે છે. પોતાના અહંકારનો જ ગુલામ થયેલો તે ‘હું જ સર્વસ્વ છું, મારાથી જ બધુ થાય છે’ તેવા દંભનો શિકાર બને છે.આવા વ્યક્તિને ભગવાન કે ભગવાન સંબધી કાર્યો સાથે કોઈ નિસબત નથી હોતી તેને તો કેવળ પોતાનુ હિત જ વહાલું હોય છે.

‘શુ પૂછો છો મુજને કે હું શું કરું છું

મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છુ

આવા અહંકારના મદમાં રાચવા માંડે છે.

ખરેખર, જે ભગવાનનાં માર્ગથી ભટકે છે તે આ સંસારમાં ભટકી પડે છે. અંતે તે અન્યને દુ:ખી કરવામાં પોતાના પાશવી આસુરી અહંને પોષે છે. તેને જ્ઞાન નથી કે જે કાર્ય દ્વારા તે આગળ વધે છે તે શાશ્વત શાંતિનો માર્ગ નથી. ભગવાનને ભૂલીને જે પણ કાર્ય કરે અંતે તેનુ ફળ નિશ્ચિત છે – અશાંતિ !!

ALSO READ  સદાચારની સુવાસ... પ્રસરાવે પવિત્ર પ્રકાશ...!!!

દુર્યોધનને સ્વયં શ્રીકૃષ્ણ નારાયણ સમજાવવા ગયા હતા. છતાં જેણે બે કાન આડા હાથ કર્યા હોય તેને શું સંભળાય. ખરેખર, જે કેવળ પોતાના અહંકારનું જ સાંભળતો હોય તેને ભગવાનની વાણી પણ નથી સંભળાતી. ભગવાને દર્શાવેલા માર્ગથી દૂર ગયેલો દુર્યોધન અંતમાં પોતાના ભાઈઓ, પરિવારજનો, મિત્રો અને નગરજનો સહીત મૃત્યુનાં મુખમાં ધકેલાઈ જાય છે.

ન કેવળ આ એકલા દુર્યોધનની વાત છે અપિતુ હિરણ્યકશિપુ, કંસ, શિશુપાલ, જરાસંઘ, રાવણ, હિટલર, લાદેનની પણ આ જ કહાની છે. જેમણે ભગવાનના માર્ગનો ત્યાગ કર્યો અને વિશ્વની શાંતિને હણી નાંખવા માટેના પ્રયત્નો કર્યા.

એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ નારાયણ શ્રીમદ્ ભગવતગીતાના (7/14) શ્લોકમાં કહે છે –

ન માં દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: ।

માયયાપહ્યતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતા: ॥

abtakspecial BhajeteTare featured PramukhSaurabh
Share. Facebook Twitter WhatsApp
Previous ArticleIORAના સરળીકરણ માટે મહેસુલ વિભાગને કલેકટર તંત્ર આપશે સૂચનો
Next Article સોખડા પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા બે મિત્રોના કરૂણ મોત
ABTAK MEDIA
  • Website

Related Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.