Abtak Media Google News

જામજોધપુર સમાચાર

જામ જોધપુર તા ૨૮, જામ-જોધપુર માર્કેટિંગ યાર્ડની કુલ ૧૬ બેઠક માથી તેલીબીયાં વિભાગની ર બેઠક બિનહરીફ થયા બાદ ૧૪ બેઠકો જેમાં ૧૦ ખેડુત વિભાગ ૪ વેપારી વિભાગ માટે મતદાન તા ૨૭ ના રોજ થયુ હતું.આજ રોજ તા.૨૮ ના રોજ મતગણતરી દરમ્યાન વેપારી વિભાગ ની ચારેય બેઠકો ઉપર ભાજપ પ્રેરીત ઉમેદવાર વિજયી થયા છે, જયારે ખેડુત વિભાગમા ૧૦ માથી પ બેઠકો પર ભાજપ પ્રેરીત ઉમેદવારનો વિજય થયો છે. આમ તેલીબીયાંની બે બેઠકો પર ભાજપ પ્રેરીત ઉમેદવાર બિનહરીફ થયા હતા, જેથી ૧૬માથી કુલ ૧૧ બેઠક પર ભાજપ પ્રેરીત પેનલ વિજયી થતાં સતાનું સુકાન ફરી ભાજપના હાથમા રહેશે.

Advertisement

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.