Abtak Media Google News
  • બજેટ 2024 હાઈલાઈટ્સઃ હવે દેશમાં 3 કરોડ લાખપતિ દીદીઓ હશે
  • આ માટે સરકાર બજેટમાં ફાળવણી પણ વધારશે. 

યુનિયન બજેટ 2024 

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાં 1 કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી યોજના’નો લાભ મળ્યો છે. શરૂઆતમાં 2 કરોડ મહિલાઓ સુધી પહોંચવાનો લક્ષ્‍યાંક હતો જે હવે વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમની કુટુંબ દીઠ વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા છે.

Yojna

લખપતિ દીદી યોજનાના લાભો

લખપતિ દીદી યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલા સ્વ-સહાય જૂથોને અનેક પ્રકારની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, સરકાર દ્વારા આર્થિક મદદ પણ આપવામાં આવશે, જે તેમને કરોડપતિ બનાવવામાં મદદ કરશે. આ યોજના હેઠળ મહિલા સ્વ-સહાય જૂથોને એલઇડી બલ્બ બનાવવા, પ્લમ્બિંગ, ડ્રોન રિપેરિંગ વગેરે જેવા ટેકનિકલ કામ શીખવીને આત્મનિર્ભર બનાવવામાં આવશે.

આ યોજનાથી મહિલાઓને આ લાભો મળશે

લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને અનેક પ્રકારના કૌશલ્યો શીખવવામાં આવનાર છે. તેમની નાણાકીય સમજ વધારવા માટે વર્કશોપ યોજવામાં આવશે, તેમને બચતના વિકલ્પો, નાની લોન, વ્યાવસાયિક તાલીમ, ઉદ્યોગસાહસિકતા સહાય અને વીમા કવરેજનો લાભ મળશે. યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાઓએ સ્વ-સહાય જૂથનો ભાગ હોવો આવશ્યક છે.

નાણામંત્રીએ બજેટમાં એ પણ જણાવ્યું કે કેવી રીતે તેમની સરકારે દેશમાં મહિલાઓ, ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.