Abtak Media Google News

કોરોના વાયરસને નાથવાની વૈશ્ર્વિક લડાઈમાં ફાઈઝરની રસી ફેઈલ થઈ છે. મોટી ઉંમરનાં લોકો માટે ફાઈઝરની રસી ઝેર સાબિત થઈ રહી હોય, તેમ નોર્વેમાં ડોઝ લીધા બાદ ૨૩ લોકોના મોત થયા છે. નોર્વેજીયન મેડિસિન એજન્સીના જણાવ્યા અનુસાર, રસી અપાયા બાદ ૨૯ લોકોમાં આડ અસર જોવા મળી હતી. જેમાંથી ૨૩ના મોત થયા છે. જો કે, આ ૨૯માંથી હજુ ૧૩ દર્દીઓની જ તપાસ થઈ છે. જેમાં ૯ને ગંભીર સાઈડ ઈફેકટસ થઈ હતી અને ફાઈઝર રસીનાં કારણે જ મોત થયા હોવાનું ખૂલ્યું છે. જેમાનાં તમામ ૮૦ થી ૯૦ વર્ષનાં વૃધ્ધા છે. ઉલ્લેખનીય છે કે, નોર્વેમાં ફાઈઝર રસીનાં ડોઝ આપવાની શરૂઆત ગત ૨૭મી ડિસેમ્બરથી થઈ હતી અને અત્યાર સુધીમાં ૩૩ હજાર લોકોને રસી અપાઈ છે.

ગંભીર બીમાર લોકોમાં આડ અસરના ગંભીર પરિણામ

નૉર્વેઝિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થે કહ્યુ છે કે, “ગંભીર બીમાર લોકો માટે સામાન્ય આડઅસર પણ ગંભીર પરિણામ આપી શકે છે. વૃદ્ધાઓમાં આ ખતરો વધુ છે.

નૉર્વેમાં ફાઈઝર રસી ફેઈલ જતા દરેક દેશોએ તેમાંથી શીખ લઈ તમામ રસી પર ખાસ ધ્યાન આપવું પડશે. આ પરથી એ વાત સાબિત થાય છે કે કોઈ પણ દેશે આ ગંભીરતા પર નજર રાખવી પડશે. યૂરોપીયન મેડિસિન એજન્સીના પ્રમુખ એમર કુકે કહ્યુ કે કોવિડ વેક્સીનની સુરક્ષા પર નજર રાખવી ખૂબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.