Abtak Media Google News

બંધાણીઓની વ્હારે વેપારીઓ: જામનગરમાં રાહત ભાવે તમાકુ-સોપારી કિટનું વિતરણ

જામનગરમાં મસાલાની કાળાબાજરી અટકાવવા તથા વ્યાસણીઓને વ્યાજબી ભાવે મસાલા મળી રહે તે માટે તમાકુના વેપારીઓ દ્વારા બાગબાન મસાલાની કિટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જામનગર વેપારી  મહામંડળના સહયોગથી શાક માર્કેટ પાસે ગઈ કાલે બપોરે રૂ.૫૦૦માં મસાલાની કીટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં એક બાગબાનનો ડબ્બો, અધો કિલો સોપારી અને મસાલો ચોળવા માટેના પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે.

Meter 7 7

આજે અહીથી ૯૫૦ જેટલી કિટનું વેચાણ કરવામાં આવ્યું હતું. વેચાણ દરમિયાન કોઈ અંધાધૂંધી ન સર્જાય તે માટે હથિયારધારી સિક્યુરિટી પણ રાખવામા આવી હતી. આગામી દિવસોમાં બજર અને બીડીના વેચાણનું પણ આયોજન કરવામાં આવી રહયાનું વેપારી મંડળના પ્રમુખ સુરેશ તન્નાએ જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.