Abtak Media Google News
  • જેલમાંથી છૂટી લગ્નના બીજા દિવસે પતિ સહિતના સાસરિયાંએ ત્રાસ દેતા પરિણિતાએ ઝેર ગગટાવ્યું
  • બળાત્કાર ગુજાર્યા બાદ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી યુવતી પાસે કરિયાવર ની માંગણી કરતા નોંધાતો ગુનો

રાજકોટમાં લગ્ન બાદ સાસરિયાના ત્રાસ નો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં દસ મહિનાથી મવડી ચોકડી પાસે માતા સાથે રહેતી નંદની નામની યુવતીએ અમદાવાદ ચાંદલોડિયા રહેતા પતિ પાર્થ પંચાલ, સસરા રાજેન્દ્રભાઇ પંચાલ, સાસુ ગીતાબેન, નણંદ પૂજા, ટીનુ અને પતિનો મિત્ર હિતેશ દર્શલિયા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીને સાસરિયાઓ કરિયાવર બાબતે મેળા મારી ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મના કેસમાં થી બચવા માટે યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી ત્રાસ ગુજાર્યો હતો.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ,તેને પાર્થ પંચાલ સામે 2018ના વર્ષમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. તે પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પાર્થને જેલહવાલે કરાયો હતો. બાદમાં તે જેલમાંથી છૂટયા બાદ પાર્થે યુવતીનો સંપર્ક કરી તેને પ્રેમ કરે છે નું નાટક કરી 21-4-2021ના રોજ અમદાવાદ લઇ જઇ કોર્ટમાં લગ્ન કર્યા હતા.બાદ લગ્નના બીજા દિવસથી જ સાસુ, નણંદ, સસરા, પતિ સહિતનાઓએ ઘરકામ તેમજ કરિયાવર મુદ્દે ઝઘડા કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. જેથી આ મુદ્દે પતિ અને સાસરિયાઓને ત્રાસ ન આપવાની વાત કરતા તેઓ કહેતા કે તે પાર્થ સામે બળાત્કારનો કેસ કર્યો છે ને તેનો બદલો લીધો છે.

યુવતીને પતિ અને સાસરીયાઓએ ત્રાસ આપતા લગ્નના બે મહિના બાદ યુવતીએ માતાને ફોન કરી અમદાવાદ બોલાવ્યા હતા. ત્યારે પાર્થ સહિતનાઓએ માતા સાથે પણ ઝઘડો કરી જયા કેસ કરવો હોય ત્યાં કરી લેજે, પાર્થે તો બળાત્કારનો કેસ નબળો પડી જાય તે માટે જ લગ્ન કર્યા છે, પાર્થ માટે છોકરીઓની લાઇન છેની ધમકી આપી કાઢી મુકયા હતા.

પ્રેમજાળમાં ફસાવી પોતાના પર ત્રાસ ગુજારતા હતા અને તે ત્રાસના વિચારોથી પોતે છેલ્લા બે દિવસથી ભયભીત હોય મરી જવાના ઇરાદે ઘરે જ ઘંઉમાં નાંખવાની ઝેરી દવા યુવતીએ પી લીધી હતી. માતાને ખબર પડતા તુરંત તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેને પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે છ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.