Abtak Media Google News

 નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ગામડાઓમાં રહેતા આદિવાસી લોકોને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી. હાઈકોર્ટે જુદા જુદા ટુરિઝમ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પર કોઈ કાર્યવાહી ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

કેવડિયામાં સરદાર સરોવર ડેમની નજીક સરદાર પટેલની પ્રતિમા પાસે છ ગામની જમીન સંપાદનના વિરોધમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં સુનાવણી કરતા સમયે ચીફ જસ્ટીસ એ.એસ દવે અને જસ્ટીસ બિરેન વેષ્ણવની બેન્ચે આદિવાસીઓને રાહત આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.