Abtak Media Google News

મઘરવાડાની પરિણીતાએ દોઢ-માસના લગ્નજીવનમાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું‘તું

રાજકોટ નજીક મઘરવાડાગામે દોઢમાસના લગ્ન જીવન સમયગાળામાં પત્નિના આપઘાત કેસમાં પતિને શરતી જામીન ઉપર મુકત કરવા કોર્ટ હુકમ કર્યો છે.

રાજકોટ તાલુકાના ગામ મઘરવાડાના રહેવાશી ચતુરભાઇ વલ્લભભાઇ તલસાણીયાના લગ્ન ૭ માસ પૂર્વ વાંકવડ મુકામે આંબાભાઇ થોરીયાની પુત્રી નિમુબેન સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા હતા. દોઢ માસના લગ્ન જીવન દરમિયાન નિમુબેન ચતુરભાઇ તલસાણીયાએ પોતાના પતિના ઘરે કોઇ પણ અગમ્ય કારણોસાર રૂમમાં ચુંદડી વડે ગળાફાસો ખાઇ આપઘાત કરી લેતા ચતુરભાઇ વલ્લભભાઇ તલસાણીયા સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મારઝુડ કરી, દુ:ખ ત્રાસ આપી, નિમુબેનને મરવા મજબુર કરેલ હોવાની ફરિયાદ આઇ.પી.સી. કલમ-૩૦૬, ૪૯૮ (ક) અન્વયે ગુજરનારના સગા મૃતક મોટાભાઇ ચેતનભાઇ થોરીયાએ નોધાણી હતી. જે અન્વયે પોલીસે ચતુરભાઇ તલસાણીયા વિરૂધ્ધ કાર્યવાહી કરી ધરપકડ કરી જેલ હવાલે કરેલ આરોપીએ હાઇકોર્ટમાં  જામીન અરજી કરી હતી. હાઇકોર્ટ આરોપીને શરતો સાથે જમીન ઉપર છોડવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી તરફે હાઇકોર્ટના એડવોકેટ મિહિરભાઇ વખારીયા અને વીનુભાઇ વાઢેર, શૈલેષભાઇ પંડીત, શૈલેષભાઇ મોરી, વિજય ભલસોડ તથા રીતીન આર. મેંદપરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.