Abtak Media Google News

કાશ્મીરમાં બાંદીપુરાના હાજીનમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. અથડામણમાં બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરના આતંકી લખવીનો ભાણિયો ઠાર મરાયો છે. લખવી લશ્કર-એ-તોઇબાનો આતંકી છે. લખવી 2008ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી છે. અથડામણમાં IAF ગરુડનો એક જવાન શહીદ થયો છે, જ્યારે બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. કાશ્મીરના જકુરા વિસ્તારમાં આતંકીઓના હુમલામાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહીદ થઇ ગયા હતા અને એક પોલીસકર્મી ઘવાયો હતો. કારમાં સવાર ત્રણ આતંકીઓએ શ્રીનગર-ગંદરબાલ રોડ પર નિયુક્ત પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યુ હતું. તેમાં સબ ઇન્સ્પેક્ટર ઇમરાન ટાકનું ગોળી વાગવાને કારણે મોત થયું હતું જ્યારે એસપીઓ ઘવાયો હતો. જોકે, પોલીસે કારનો પીછો કરીને એક આતંકીને પકડી પાડ્યો હતો. બે આતંકીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બંનેને ઝડપવા સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.