Abtak Media Google News

હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ એટલે શ્રી હરિચરિત્રામૃત

૬ વર્ષ ૪ માસ અને ૧૮ દિવસ સતત લાઈવ ટેલીકાસ્ટ થઈ હોય તેવી પ્રથમ ઘટના

એશિયા બુક ઓફ રેકોર્ડઝ તથા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડથી સન્માનિત

આધારાનંદ સ્વામી રચિત શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાન સ્વામિનારાયણનાં જીવનચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૯ પુર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા-ચોપાઈઓ છે. આ વિરાટ કાય ગ્રંથની કલા એટલે સાગર કથા. તા.૧૦ જુન ૨૦૧૧નાં રોજ કુંડળધામમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા આ સાગર કથાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગ્રંથની ૧ થી ૨૦ પુર સુધીની કથાનો લાભ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આપ્યો હતો અને બાકીના ૯ પુરની કથાનો લાભ ઈશ્ર્વરચરણદાસજી સ્વામીએ આપ્યો હતો. દેશ-વિદેશમાં લાઈવ ટેલીકાસ્ટ થતી આ સાગરકથાથી હજારો લોકોના જીવનમાં સમજણ, સંસ્કાર અને સદગુણસિંચનનું અદભુત કામ થયું છે. કથા દરમ્યાન આવતા પ્રત્યેક પુરના સમાપ્તિ સમારોહ અલગ અલગ જગ્યાએ ખૂબ ધામધુમથી ઉજવવામાં આવતા હતા.

Banna 1

ઈ.સ.૨૦૧૭નાં દિવાળીના વેકેશન દરમ્યાન સ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં ઉજવાયેલ ભવ્ય સાગર મહોત્સવમાં તા.૨૬ ઓકટોબર ૨૦૧૭નાં રોજ આ સાગરકથાની પૂર્ણાહુતી થઈ હતી. આમ આ સાગર કથા કુલ ૨૦૫૭ ભાગમાં સંપૂર્ણ થઈ. ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ અર્થાત ૨૩૩૨ દિવસ સુધી ચાલેલ આ કથાના કુલ ૨૪૪૦ કલાકો થયા છે. એક જ ગ્રંથ ઉપર સૌથી લાંબા સમય સુધી શબ્દશ: કથા થઈ હોય અને તે લાઈવ ટેલીકાસ્ટ થઈ હોય એવી કદાચ આ પ્રથમ ઘટના છે. એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા જ્ઞાનજીવનદાસજી સ્વામીને એવોર્ડસથી સન્માનિત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.