રાજકોટ ખાતે કાર્યરત આઈ.ટી.આઈ. દ્વારા ભારત બેન્ઝના સહયોગથી રાજકોટ જિલ્લાનાં ઓટોમોબાઈલ અને મિકેનીકલ ટ્રેડના સુપરવાઈઝર ઈન્સ્કટરો માટે તા. 05 મે ના રોજ આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ભારે વાહનોની અદ્યતન ટેકનોલોજી વિષય પર વિદ્યાર્થીઓને તાલિમ આપવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.

યોગેશ ધંધુકિયા, પપ્પુભાઈ યાદવ, નિલેશ  કુગશીયા, આર.પી. સિંઘ, અરૂણકુમાર શર્મા, અને શ્રીમતી એન. પટેલ દ્વારા આ વિષય પર વિદ્યાર્થીઓને તાલિમ આપવામાં આવી હતી. તેમ આઈ.ટી.આઈ.ના આચાર્ય નિપુણભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.