Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્યારે શનિવારે સવારે શ્રીનગરના કુલુગામમાં પણ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 3 આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ અહીં પાંચ શંકાસ્પદ લોકો છુપાયા હોવાની સેનાને માહિતી મળી છે.

શ્રીનગરના ચૌગામ કાજીગુંડમાં એન્કાઉન્ટરના કારણે બારમુલા અને કાજીગુંડ વચ્ચેની ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પોલીસ અને સેના દ્વારા હજી સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કાશ્મીરમાં કુલુગામ જિલ્લાના ચૌગામમાં એક અભિયાનમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.