Abtak Media Google News

જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર પૂર્ણ થતાંની સાથે જ આતંકીઓ વિરુદ્ધ એકવખત ફરી સેનાનું ઓપરેશન શરૂ થયું છે. સોમવારે સવારે સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના બિજબેહરામાં આતંકીઓ વિરુદ્ધ  સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. સીઝફાયર પૂર્ણ થયાં બાદ આતંકીઓ વિરૂદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે. આ ઉપરાંત સોમવારે જ બાંદીપુરામાં ચાલી રહેલાં ઓપરેશનમાં સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યાં છે. આ એન્કાઉન્ટરમાં જ સેનાએ 14 જૂને 2 આતંકવાદીઓને ઠાર કર્યાં હતા. જેમાં એક જવાન પણ શહીદ થયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.