Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના ૧૩ વર્ષની વયના પુત્ર ઓમ નું મુંબઈમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે. આ ઘટનાને લીધે પરિવારમાં શોક છવાયો છે.

Advertisement

સચિનભાઈનો ૧૩ વર્ષનો પુત્ર ઓમ  મુંબઈમાં અભ્યાસ કરતો હતો અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવાર ભારે શોકમગ્ન બન્યો છે .  તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટ માંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર ૧૩ વર્ષની વયના કિશોરના હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે  શોક ફેલાયો છે .

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.