Abtak Media Google News

સાગર સંઘાણી

અસામાજિક તાતાવોમાં ખાખીનો કોઈ ખોફ જ રહ્યો નથી તેવી ઘટનાઓ રાજ્યમાં સામે આવી રહી છે. આવારા તત્વો હવે વિદ્યાનાધામમાં પણ દાદાગીરી કરી રહ્યા છે. હાલ તેવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં જામનગરમાં આવેલી એક ખાનગી કોલેજના વિદ્યાર્થીને સરા જાહેર 5થી6 અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ અંગે ના સીસીટીવી ફૂટેજ સામે આવતા ભારે ચકચાર મચી ગઈ.પોલીસે આ ઘટના અંગેનો ગુનો નોંધી આરોપીની પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારની છે જ્યાં આવેલી વિદ્યાસાગર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અજયસિંહ દિલીપસિંહ જાડેજા પોતાની કોલેજમાંથી બહાર આવતા અચાનક 5 થી 6 શખશો દ્વારા હુમલો કરી માર માર્યો હતો જેમાં અજયસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કોલેજમાં હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે ઘટના સ્થળે આવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે અજયસિંહને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યાં તેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.