Abtak Media Google News

સાગર સંઘાણી 

જામનગર નાં ભૂ માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે જામનગર માં ગુજસીટોક ના કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કેટલાક આરોપી ઝડપાયા હતા.તેમાં થી એક આરોપી ને આજે સુપ્રીમ કોર્ટ માંથી જામીન મળ્યા છે.જ્યારે અન્ય આરોપી એવા પૂર્વ કોર્પોરેટર નાં જામીન નાં મંજૂર થયા છે.

જામનગરમાં જમીન માફીયા જયેશ પટેલ અને તેના સાગ્રીતો સામે ત્રણેક વર્ષ પહેલા ગુજસિટોક નાં નવા કાયદા હેઠળ ગુનો નોંધવા મા આવ્યો હતો.જેમાં મુખ્ય આરોપી વિદેશ નાસી જતા તે પોલીસ નાં હાથ મા આવ્યો ન હતો.

જ્યારે અન્ય કેટલાક આરોપી ની ધરપકડ કરી જેલ હવાલે કરવા મા આવ્યા હતા તેમા થી પણ થોડા સમય પહેલા અમુક આરોપી ઓ નો જામીન ઉપર છુટકારો થયો હતો. જ્યારે અન્ય એક આરોપી મુકેશ અભંગી ને આજે સુપ્રીમ કોર્ટ માંથી જામીન મળ્યા છે.તથા પૂર્વ કોર્પોરેટર એવા અતુલ ભંડેરી નાં જામીન નાં મંજૂર કરવા મા આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.