Abtak Media Google News

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે એક ખાનગી બસ 200 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ છે. ઘટનામાં 30 લોકોના મોત થયા છે. આ બસમાં 40 લોકો હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં બેઠેલા દરેક યાત્રીઓ કોંકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારીઓ હતા. તેઓ પિકનીક મનાવવા દાપોલીથી મહાબળેશ્વર જઈ રહ્યા હતા. ઘટના ગાઢ જંગલવાળા વિસ્તારમાં થઈ છે. અહીં મોબાઈલ નેટવર્ક પણ ન હોવાથી યાત્રીઓના સંપર્ક કરવાનું અને તેમને બચાવવાનું કામ મુશ્કેલ થઈ રહ્યું છે.

Advertisement

એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.