Abtak Media Google News

ટીકર ગામે આવેલ નમેદેશ્વર આશ્રમ ખાતે લધુરૂદદ્ર યજ્ઞ યોજાયો / મૂળી તાલુકાના ટીકર ગામે પાડવરા રોડ ઉપર આવેલ નમદેશ્વર મહાદેવ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે  લખતર લુહાર સુથાર જ્ઞાતિ દ્ધારા લઘુરૂદ્ર યજ્ઞનુ આયોજન કરવામા આવેલ આ પસંગે આશ્રમના મહંત શિલાગીરીજી માતાજીના યજમાન પદે લખતરના પંડીત ભવાનીભાઈ ઉપાધયાય ના આચાર્ય પદે પ્રથમ વખત લધુરૂદ્ર યજ્ઞ યોજવામા આવેલ આ પ્રસંગે લખતરના હિમતલાલ રાઠોડ, જયંતીલાલ ગોહિલ,ઓળકના હરજીભાઈ રાઠોડ તરફથી મહાપ્રસાદ રાખવામા આવેલ જયારે આ પાવન પ્રસંગે ટીકરના સરપંચ તથા ટીકરના ગામજનો  તેમજ સડલા,સાયલા, સરા, લખતર, સવલાણા, અંકેવાળીયા, લીલાપુર, ઓળક, જોરાવરનગર, વઢવાણ, જસદણ વગેરે ગામના મહેમાનો આ પ્રસંગે લધુરૂદ્ર યજ્ઞનો દશેનનો લાભ લીધેલ હતો

જયારે આ પ્રસંગની પુણોહુતી સમયે શિલાગીરી માતાજીએ સૌને આશીવચન પાઠવેલ હતા જયારે ટીકર તેમજ લખતરના સેવકોએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.