Abtak Media Google News

અયોધ્યા વિવાદને કોર્ટ બહાર ઉકેલવા માટે શ્રી શ્રી રવિશંકર આજે અયોધ્યા આવશે. અહીં સવારે 11 કલાકે પહોંચ્યા બાદ તેઓ હિન્દુ-મુસ્લિમ પક્ષકારો સાથે વાત કરશે. બુધવારે તેમણે સીએમ યોગી સાથે 30 મિનિટ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં અયોધ્યા વિવાદને ઉકેલવા માટે સંભવિત રોડમેપ પર ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ વિવાદના ઉકેલ માટે રવિશંકર મધ્યસ્થી કરી રહ્યા છે.

યુપી શિયા વક્ફ બોર્ડના ચીફ વસીમ રિઝવીએ તાજેતરમાં આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી.

રિઝવીએ કહ્યું,“ જે લોકો કોઈ પ્રકારની સમજૂતી ઈચ્છતા હોય તેમની સાથે જ બાબરી-રામમંદિર વિવાદ પર વાતચીત થવી જોઈએ.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.